દીયોદર- જાડા ખાતે બનાસકાંઠા ના ઉમેદવાર માટે સી.આર.પાટીલની જાહેરસભાને સંબોધી
દિયોદર તાલુકાના જાડા -કોતરવાડા રોડ ઉપર બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌઘરી ના પ્રચાર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની જાહેર સભા યોજાઈ હતી.પ્રારંભમાં જિલ્લાના પ્રમુખ કિર્તિસિંહ વાઘેલાએ સૌને આવકાર્યા હતા. ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠાની સેવા કરવાની તક આપ સૌ આપશો તો તેને સાર્થક કરવાનો પ્રયત્ન કરીશ. જીલ્લાના ગામે ગામ પાણી પહોંચે તેવા પ્રયાસો કરીશ. આ સભામાં કોંગ્રેસના કેટલાક કાયૅકરો ભાજપમાં જોડાતાં સી.આર.પાટીલ ના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરાવવામા આવેલ.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પાસે સત્તા હતી ત્યારે જનતાની સમસ્યાને દુર કરવાના કોઇ પ્રયાસ કર્યા નથી આજે ઘરે ઘરે પિવાનુ પાણી મળી રહે તે માટે સરકારે પ્રયાસ કર્યો છે અને આ વિસ્તારમા આજે સફેદક્રાંતી જોવા મળે છે. બનાસડેરીના કારણે વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ સારી થઇ છે. નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે તેના માટે બનાસકાંઠાના ભાજપના ઉમેદવારને જંગી મતોથી જીતાડવાના છે.