![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/થરાદ-ખાતે-બાબાસાહેબ-હેડ.jpg)
થરાદ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી વંદન કર્યા
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતીની થરાદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે નગરના આગેવાનો વિધાનસભા અધ્યક્ષ સહિત હાજર રહી ડો. બાબાસાહેબને ફૂલહાર પહેરાવી અને જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતી.
થરાદ ખાતે આજરોજ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે રેફરલ ત્રણ રસ્તા પાસે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રાજપૂત સમાજના અગ્રણી ડી.ડી રાજપૂત, પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ, આંબાભાઈ સોલંકી, ઉમેદ પરમાર સહિતના દલિત સમાજના આગેવાનો, યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફુલહાર પહેરાવી અને ઉજવણી કરવામાં આવી હતી.