અમીરગઢ પોલીસ દ્વારા ટ્રેક્ટરોની ટ્રોલી ઉપર રીફલેક્ટર લગાવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

હાઇવે ઉપર અકસ્માતો નિવારવાનો પ્રયાસ: નેશનલ હાઈવે ઉપર થતા અકસ્માતોને અટકાવવા માટે અમીરગઢ પોલીસ દ્વારા ટ્રેક્ટરોની ટ્રોલી પર રીફ્લેક્ટર લગાડી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતો. જેમાં ઈકબાલગઢ માર્કેટ યાર્ડમાં પીઆઈ ધવલ પટેલ દ્વારા ખેડૂતોને જાગૃત કરવા સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો સભામાં જોડાયા હતા.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસેથી પસાર થતા આબુરોડ- પાલનપુર નેશનલ હાઇવે પર અકસ્માતોનો ગ્રાફ દિનપ્રતિદિન વધી રહ્યો છે જેના લીધે ઘણા નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડ્યા છે એક બાદ એક અકસ્માતો થઇ રહ્યા છે અને લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે આવા અણધાર્યા અકસ્માતોને જોઈ તંત્ર પણ અકળામણ અનુભવી રહ્યું છે ત્યારે આવા અકસ્માતોને રોકવા હેતુ અમીરગઢ પોલીસ દ્વારા પહેલ કરતા હાલમાં બટાકાની સીઝન ચાલતી હોઈ ટ્રેક્ટરો મારફતે બટાકા લઇ જવામાં આવતા રાત્રીના સમયે અકસ્માત થઇ રહ્યા છે માટે  માર્કેટયાર્ડમાં પોલીસ દ્વારા ખેડૂતોને જાગૃત કરવા માટે એક સભા યોજી હતી. જેમાં અકસ્માત વિષે માહિતી આપી પોતાના વાહનો ઉપર રીફ્લેક્ટર લગાડવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને ટ્રેકટરોની ટ્રોલી પાછળ પોલીસ તરફથી રીફલેકટર લગાડવામાં આવ્યા હતા. જેથી ઓચિંતા થતા માર્ગ અકસ્માતોથી થતી જાનહાની અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.