![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/અમીરગઢ-પોલીસે-થોડા-સમય-02-હેડ.jpg)
દારૂના શોખીનોના જીવ જોખમમાં અમીરગઢ પોલીસે થોડા સમય અગાઉ ફોડેલ દારૂ બિયર ટીન ફરતાં થયા
અમીરગઢ પોલીસે થોડા સમય અગાઉ અમીરગઢ બોર્ડર પર પકડાયેલ ગેર કાયદેસર દારૂનો નાશ કર્યો હતો જે બજારમાં ફરતો જોવા મળી રહ્યો છે. હાલમાં થોડા દિવસો અગાઉ જ અમીરગઢ પોલસે અમીરગઢ ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે પકડાયેલ દારૂનો નાશ કર્યો હતો પરંતુ એ દારૂ ફોડ્યાના બીજા જ દિવસથી ફોડાયેલ દારૂ બજારમાં ફરતો જોવા મળી રહ્યો છે જોકે આ દારૂ નો નાશ કરવામાં આવ્યો હોય કાગળીયે બનાવામાં આવ્યું છે તેવું લાગી આવી રહ્યું છે લોક મુખે ચર્ચાઓ ફરતી થઈ છે કે અમીરગઢ પોલીસ દ્રારા નાશ કરવામાં આવતો દારૂ મળતિયાઓને પોહચતો કર્યો હોવાનું વાતો ટોક ઓફ ધ ટાઉન બની છે .
જ્યારે દારૂ ફોડવામાં આવ્યો તેના બીજા જ દિવસથી જાગ્યા જગ્યાએ એજ બ્રાન્ડ અને કલરના બિયર ટીન જોવા મળી રહ્યા છે જેથી આમ પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે શું આ અંગે અમીરગઢ પીઆઇ ધવલ પટેલ અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અને ડી વાય એસપી સર આ વાતથી અજાણ છે. અને જો પોલીસે ખરા અર્થે મળતિયાઓને નથી સાચવ્યા તો ફોડવામાં આવેલ દારૂ પૈકીનો દારૂ બીજા જ દિવસથી ફરતો ક્યાંથી થયો એ સવાલ ઊભાં થાય છે. અને જો આવા એક્સપાયરી ડેટ વાળા દારૂના સેવનથી કોઈ વ્યકિતનો જીવ જોખમમાં મુકાય તો તેના માટે જવાબદાર કોણ..? શું જીલ્લા પોલીસ વડા અને ઉપરી અધિકારીઓ આ અંગે તપાસ કરશે કે કેમ એ આવનારો સમય બતાવવશે.
Tags Banaskantha Deesa diyodar Palanpur