બાદરપુરા પાસે મહેશ્વરી પેપર મિલમાં 3 શ્રમિકોનાં મોત ટાંકીમાં ઉતરેલા 3 શ્રમિકોના ગેસ ગૂંગળામણથી મોત: 2 સારવાર તળે

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી હાથ ધરી તપાસ

પાલનપુરના બાદરપુરાની મહેશ્વરી પેપર મિલમાં ગેસ ગુંગળામણથી 3 શ્રમિકોના મોત નીપજ્યાં હતા. જ્યારે બે શ્રમિકો ને અસર થતાં સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા.

પાલનપુર ડીસા હાઈવે પર આવેલા બાદરપુરા ગામ પાસે આવેલી મહેશ્વરી પેપર મિલમાં પેપર પલાળવા માટેની ટાંકીઓ માં મેઈન્ટેનસની કામગીરી ચાલતી ત્યારે ગત રાત્રે ટાંકીમાં સફાઈ કામ માટે ઉતરેલા એક શ્રમિકનો શ્વાસ રૂંધાતા તે બેહોશ થઈ ગયો હતો. જેને બહાર કાઢવા અન્ય શ્રમિકો અંદર ઉતર્યા હતા પણ તેઓ પણ ગુંગળામણથી બેહોશ થઈ ગયા હતાં. દરમિયાન 108 અને ફાયર વિભાગે દોડી આવી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જેમાં ટાંકીમાંથી બહાર કાઢેલા 5 શ્રમિકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ત્રણ શ્રમિકોને મૃત જાહેર કર્યા હોવાનું પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.સુનિલ જોશીએ જણાવ્યું હતું.

જોકે, અન્ય બે શ્રમિકો સારવાર હેઠળ છે. જેઓની તબિયત સુધારા પર છે. ત્યારે સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસે મૃતદેહો ને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દુર્ઘટનાનો ભોગ બનેલા શ્રમિકો

મૃતકોના નામ:-

(1)મનોજ ગણેશરામ દાસ ઉ.30 રહે.બસોલી.

(2)બિપિન દિનેશ પાંડે ઉ.24 રહે.સેહુડા.

(3)જયપ્રકાશ પાલ ઉ.25 રહે.ગોરખપુર.

સારવાર હેઠળ:-

(4)નાગેન્દ્ર પાંડે ઉ.32 રહે.સેહુડા.

(5)ગજેન્દ્રરામ શિવરામ ઉ.45 રહે.બિહાર.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.