![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/06-19.jpg)
હિંમતનગરમાં ધોરણ 10 અને 12ના અભ્યાસમાં નબળા વિધાર્થીઓને શિક્ષકોએ દિવાળીમાં ઉપચારત્મક શિક્ષણ આપ્યું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની એક હાઇસ્કુલમાં આચાર્ય સહિત શિક્ષકોએ ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા નબળા વિધાર્થીઓને વેકેશન દરમિયાન શિક્ષણ આપવાનું શરુ કર્યું હતું. તો શિક્ષકો દ્વારા શાળામાં વાલી મીટીંગ બાદ દિવાળી વેકેશનમાં શૈક્ષણિક કાર્યનું આયોજન કર્યું હતું. જે હાલમાં ચાલી રહ્યું છે અને વેકેશન પૂર્ણ થતા પૂર્ણ થશે.આ અંગેની વિગત એવી છે કે, દિવાળી વેકેશનમાં સ્કૂલોમાં રજાઓ હોય છે. ત્યારે આ વેકેશનનો સદઉપયોગ કરીને ધો.10 અને 12માં અભ્યાસ કરતા વિધાર્થીઓ જે બોર્ડની પરિક્ષામાં નાપાસ ના થાય તે માટે નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. હિંમતનગરની માય ઓન હાઇસ્કુલમાં શિક્ષકો દ્વારા બોર્ડના નબળા વિધાર્થીઓ માટે નવો અભિગમ અપનાવ્યો છે. પ્રથમ સત્રમાં નબળા હોવાને લઈને વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થાય જેને લઈને વેકેશન પહેલાં વાલીઓની મીટીંગ કર્યા બાદ વિધાર્થીઓને વેકેશનમાં ઉપચારત્મક અભ્યાસ કરવા માટે જાણ કરી હતી.
ઉપચારત્મક માટે દરરોજ સવારે 8થી 10 એમ બે કલાક દરરોજ અલગ અલગ વિષય પ્રમાણે શિક્ષકો દ્વારા વિધાર્થીઓને શિક્ષણ આપવાના આયોજનની તૈયારી કરી હતી. તેનો અમલ વેકેશન દરમિયાન શરુ કર્યો હતો. તો વેકેશન પૂર્ણ થતા આ શિક્ષણકાર્ય પૂર્ણ થશે. તો ધો. 10 અને ધો.12ના 40થી વધુ વિધાર્થીઓને શિક્ષકો દ્વારા દરરોજ સવારે બે કલાક અલગ અલગ વિષયોના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ઉપચારાત્મક શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેથી નબળા વિદ્યાર્થીઓ ઉપચારાત્મક શિક્ષણ દ્વારા બોર્ડની પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે છે.