માતાજીનો ત્રીજા પાટોત્સવની ઉજવણીએ શોભાયાત્રા યોજાઈ
હિંમતનગરમાં જૂની સિવિલ સર્કલ પાસેના વિસ્તારમાં હિંમતનગર ડબગર સમાજના શ્રી જોગણી માતાજીનો ત્રીજો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી જોગણી માતાજીના મંદિરેથી ભવ્ય ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી. જે જૂની સિવિલ સર્કલ થઈને પાચબત્તી પહોચી હતી.ટાવર ચોકમાં પહોચ્યા બાદ સમાજના યુવક યુવતીઓ અને મહિલાઓ ગરબે ઘૂમ્યા હતા. ત્યારબાદ શોભાયાત્રા નવા બજાર ગાંધી રોડ થઈને બી ડીવીઝન પોલીસ સ્ટેશન આગળ થઈને પરત મંદિરે પહોચી પૂર્ણ થઇ હતી.
અંદાજીત બે કલાકથી વધુ સમય સુધી ભવ્ય શોભાયાત્રા શહેરમાં વિસ્તારના વિવિધ ફરી હતી. શ્રી જોગણી માતાજીના મંદિરે બપોરે હવન શરૂ થયો હતો. ત્યારબાદ સાંજે હવનની પુર્ણાહુતી થયા બાદ 6 વાગે મહાઆરતી અને 7 વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જોગણી માતાજીના ત્રીજા પાટોત્સવ નિમિતે માતાજીને અને મંદિરને શણગારવામાં આવ્યા હતા. તો આ ઉજવણી સમાજના ભાઈઓ-બહેનો યુવક-યુવતીઓ વડીલો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પાટોત્સવની ઉજવણીમાં જોડાયા હતા.