ખેડબ્રહ્માના ખેડવા જળાશયમાંથી 11 ગામોને રવિ સિઝનમાં સિંચાઈ માટે 6 પાણ અપાશે
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા જળાશયમાંથી રવિ સીઝન માટે ખેડૂતોને સિંચાઈ માટે ખેડબ્રહ્માના 11 ગામોને છ પાણ આપવાનું આયોજન કરવામાં આવ્યા બાદ પ્રથમ પાણ છોડવામાં આવ્યું છે. જેને લઈને 400 હેક્ટરમાં પિયતને લાભ મળશે.સાબરકાંઠા જિલ્લાના ચાર મોટા જળાશય પૈકી ખેડવા જળાશય ચોમાસામાં 75 ટકા ભરાયો હતો. જેમાં 165.27 MCFT પાણીનો સંગ્રહ થયો હતો. ત્યારબાદ રવિ સીઝન માટે ખેડૂતોને છ પાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને પ્રથમ પાણ માટે 15 કયુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે.
સાબરકાંઠાના વિભાગ નં.3 ના બાધકામ યોજનાના કાર્યપાલક ઈજનેર ઉજાસ પટેલે જણાવ્યું હતું કે, હરણાવ જળાશયમાંથી ખેડબ્રહ્મા તાલુકાના 11 ગામોના 400 હેકટરમાં આ પાણીથી પિયતનો લાભ મળશે. તો પ્રથમ પાણ બાદ 20 દિવસ બાદ બીજું પાણ આપવામાં આવશે. આમ છ પાણ માર્ચ-2024 સુધી આપવામાં આવશે. ચોમાસામાં 165.27 MCFT પાણીનો સંગ્રહ થયો છે. જેમાંથી છ પાણમાં 150.80 MCFT પાણીનો વપરાશ થશે