![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/વૃક્ષો-02.jpg)
એક વૃક્ષ પ્રભુ શ્રીરામ કે નામ થીમ પર ભગવાન રામને 22,000 વૃક્ષો અર્પણ કરવાનો નિર્ધાર આયોજકો દ્રારા કરવામાં આવ્યો
આગામી તા. 22 મી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ ની પુન:પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે પાટણના નોરતા ગામે નિર્માણ થનાર ગુજરાતના સૌથી મોટા ઓકસીજન પાક એવા પીંપળ વન નું પ્રથમ સોપાન શ્રી રામવન થી તા 21 મી ના રોજ થી શુભારંભ થનાર છે. જેમાં એક વૃક્ષ પ્રભુ શ્રીરામ કે નામ થીમ પર ભગવાન રામને 22,000 વૃક્ષો અર્પણ કરવાનો નિર્ધાર આયોજકો દ્રારા કરવામાં આવ્યો છે.
શ્રીરામ વન નો શુભારંભ અને ધમૅ વૃક્ષ એક વૃક્ષ પ્રભુ શ્રીરામ કે નામના આયોજિત કાર્યક્રમ ની વિસ્તૃત માહિતી પ્રદાન કરવા ગુરૂવારે મહાકાળી પીપળવન ખાતે આર્ય વ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ, પર્યાવરણ સંરક્ષણ ગતિ વિધિ પાટણ અને સમસ્ત નોરતા ગામના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે માહિતી પ્રદાન કરતાં આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા પર્યાવરણવિદ નિલેશભાઈ રાજગોરે જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામે 14 વર્ષ સુધી વનમાં રહી પ્રકૃતિની સેવા,સંરક્ષણ અને સંવર્ધન કર્યું હતું.
પ્રકૃતિ જોખમાઈ રહી છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવા પ્રશ્નો વિશ્વને સતાવી રહ્યા છે. ત્યારે આગામી 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા તીર્થમાં ભવ્ય રામ મંદિર માં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.તેની પૂર્વ સંધ્યાએ પાટણ ના નોરતા ગામે આર્ય વ્રત નિર્માણ પ્રેરીત મહાકાળી પીપળ વન ખાતે લોક ભાગીદારી, દાતાઓ અને સરકારના સહયોગથી ગુજરાત નું સૌથી મોટું ઓકસીજન પાકૅ પીપળવન નિમૉણ થઈ રહ્યું છે. જેના પ્રથમ સોપાન શ્રી રામ વનમાં એક વૃક્ષ પ્રભુ શ્રીરામ કે નામ થીમ પર ભગવાન શ્રીરામને 22000 વૃક્ષો અર્પણ કરવામાં આવશે.