![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/સુએઝ-ટ્રીટમેન્ટ-પ્લાન્ટનું.jpg)
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે ખાતમુહૂર્ત કરાયું
સિદ્ધપુર નગરપાલિકા અને ગુજરાત શહેરી વિકાસ કંપની, ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે રૂ. 41.68 કરોડના ખર્ચ થી તૈયાર થનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી સિધ્ધપુર શહેરની અને વિકસીત વિસ્તારની ઉભરાતી ગટરના પ્રશ્ન હલ થશે. આ પ્રોજેકટથી શુધ્ધીકરણ બાદનાં પાણીનાં પુનઃ વપરાશ માટેની તકો ઉભી કરી શકાશે, જેના કારણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ બનશે. વડોદરા દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે કાર્યકમ પૂર્વ 2 મિનિટનું મોન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
Tags Banaskantha Gujarat patan Siddhpur