સિદ્ધપુર રેલવે આરપીએફ વિભાગ તથા ડોગ સ્કવોડ પાટણ જિલ્લા મારફતે ચેકિંગ હાથ ધરાયું

પાટણ
પાટણ

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે રેલવે ડીજીપી, એસપી, ડીએસપી, સિદ્ધપુર પીઆઇની સૂચના અંતર્ગત પાટણ રેલવે વિભાગ, સિદ્ધપુર રેલવે આરપીએફ વિભાગ તથા ડોગ સ્કવોડ પાટણ જિલ્લા મારફતે ચેકિંગ હાથ ધરાયું હતું.જેમાં 15 રેલવે પોલીસ ફોર્સ જવાનો, પોલીસ સ્ટાફ દ્વારા સ્નિફર ડોગ, મેટલ ડિટેકટરની સહાયથી આખું સિદ્ધપુર રેલવે સ્ટેશન પરિસર, તમામ વિભાગોની ઓફીસ, ડસ્ટબિન, રેલવે ટ્રેક, મુસાફર સામાનથી લઇને આવતી જતી ટ્રેનોનું ચેકિંગ કરાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.