પાટણ SOGપોલીસે સમીના અનવરપુરામાંથી રહેણાંક મકાનમાંથી 5300 બોટલ સિરપનો જથ્થો જપ્ત કર્યો

પાટણ
પાટણ

ખેડા જિલ્લામાં આયુર્વેદિક મેઘાસવા સીરપમાં કોઈ કેમિકલ ભેળવીને પીવાથી ખેડામાં 5 વ્યકિતના મૃત્યુ થયાં છે. દુકાનોમાં ક્યાંય પણ આ સીરપ વેચાતી હોય તો તે કબજે કરી લેવા સૂચના આપવામાં આવી છે. જેને લઈપાટણ SOG પોલીસે અનવરપુર ગામ ના રહેણાંક મકાન માંથી સીરપ નો જથ્થો ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેડા જિલ્લાના નડિયાદમાં આયુર્વેદિક મેઘાસવા સીરપ પીવાથી 5 વ્યકિતના મોત નીપજ્યા છે, જ્યારે એકને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે. આ ઘટનાના પગલે સફાળી જાગેલી પાટણ જિલ્લા એસ ઓ જી પોલીસે તપાસ શરૂ કરતા જાણવા મળ્યું હતું કે, અનવરપુરા ગામે રહેણાંક મકાન માંથી SOG પોલીસે 5300 જેટલી બોટલો અંદાજીત 7.32.000 ની રકમ નો મોટા પ્રમાણ સીરપ નો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.