પાટણમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરના 67મા મહા નિર્વાણ દિન નિમિત્તે આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પાટણ
પાટણ

પાટણ શહેરના બગવાડ દરવાજા પાસે ભારતના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના 67મા મહાનિર્વાણ દિન નિમિત્તે દલિત સમાજ સહિત ભાજપ, કોગ્રેસ અને આપ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ભારતના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરના 67માં મહા નિર્વાણ દિન નિમિત્તે પાટણ શહેરના બગવાડા પાસે સ્થાપિત ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પાટણ શહેર અને તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ અને આ વિસ્તારના દલીત સમાજ સહિત ભાજપ, કોગ્રેસ, આપના કાર્યકરોએ ડૉ. બાબાસાહેબ પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેઓની સેવાની આજે ખાસ યાદ કરીને તેમની ડોક્ટર બાબા આંબેડકર અમર રહો બાબાસાહેબ અમર રહોના નારાથી ગુંજી ઉઠ્યું હતું.


પાટણમાં બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો બાબા સાહેબના મહાનિર્વાણ દિન નિમિત્તે આજરોજ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બગવાડા દરવાજા ખાતેથી જનજાગૃતિ રેલી નીકળી જે રેલી સિવિલ હોસ્પિટલ થઈ ચતુર્ભુજ બાગ હિંગળાચાચર જુનાગંજ બજાર થઈ સુભાષચોક થઈ બગવાડા દરવાજા ખાતે સંપન્ન થઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.