![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/05-12.jpg)
સિદ્ધપુરના કુંવારા ગામે 3.5 કરોડ ખર્ચે ગામને જોડતા રોડનું કેબિનેટ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
સિદ્ધપુર તાલુકા ના કુંવારા ગામે 3.5 કરોડ ના ખર્ચે કુંવારા થી ધનપુરા ગામ ને જોડતા 3.8 કિલોમીટર ના રોડ નું ખાત મહુર્ત કેબિનેટ મંત્રી અને સિદ્ધપુર ધારા સભ્ય ના હસ્તે કરવામાં આવ્યું હતું એ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોન ઉપસ્થિત રહ્યા હતા. આ રોડના નિર્માણ થકી વિસ્તારના નાગરિકોની પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે.
કુંવારાથી ધનપુરા ગામ ને જોડતા રોડ ના ખાત મહુર્ત પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જસુભાઈ પટેલ, શંભુભાઈ દેસાઇ, તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, દિલીપસિંહ ઠાકોર, અશ્વિનભાઈ પટેલ, ચદ્રિકાબેન, રાગિણીબેન, શ્રી મનીષભાઈ પ્રજાપતિ, અભુજી ઠાકોર, ભાનુમતિબેન મકવાણા, સહિત, આગેવાનો, કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.