સિંધી પરિવારના નુતન વર્ષ ચેટીચાંદ ની પાટણના ઝુલેલાલ મંદિર પરિસર ખાતે ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

મંદિર પરિસર ખાતેથી નીકળેલી શોભાયાત્રામાં સિંધી સમાજના પરિવારજનો જોડાયાં: પાટણ શહેરના ઝુલેલાલ મંદિર પરિસર ખાતે  ચૈત્ર સુદ બીજ બુધવારના રોજ ચેટીચાંદ પવૅ નિમિત્તે સિધી સમાજના નવા વર્ષની ભક્તિ સભર કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવી હતી.  શ્રી ઝુલેલાલ મંદિર પરિસર ખાતે વહેલી સવારથી જ વિવિધ ધામિર્ક ઉત્સવો જેવા કે ભગવાન ની સ્નાનવિધિ,વસ્ત્ર પહેરામણી, મુગટ- કવચ કુંડળ પહેરામણી, દુશાલાવિધિ , હાર પહેરામણી,તિલકવીધી,ધજા પુજન વિધિ ના પ્રસંગો ઉજવવામાં આવ્યાં હતાં.

સાંજે ઝુલેલાલ ભગવાનની ભક્તિ સંગીત ના સુરો વચ્ચે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં ઝુલેલાલ ભગવાન, લીલાશાહ ભગવાન,હિંગળાજ માતા,વાહેગુરુ ગુરુનાનક ભગવાન ને શણગારેલ રથોમાં બિરાજમાન કરવામા આવેલ શોભાયાત્રા માં ઝુલેલાલ ભગવાનની જયોત નો પણ સમાવેશ કરવામાં આવેલ હતો. આ શોભાયાત્રામાં ઝુલેલાલ રાસ મંડળના બે સભ્યો સંત કવરરામ અને સંત સતરામદાસનુ પાત્ર બની રથમાં શોભાયમાન બન્યા હતા તો શોભાયાત્રા મા સિંધી ધુન અને શહેરનાઈ ના તાલ સાથે  ભાવિક ભક્તો ઝુમી ઉઠયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.