સિદ્ધપુરના વરસીલા ગામે રથ આવી પહોંચ્યો : સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ અપાયા
જનહિતલક્ષી યોજનાઓના લાભથી કોઈપણ વ્યક્તિ વંચિત ન રહી જાય એ ઉદ્દેશ્ય સાથે સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથ સમગ્ર જિલ્લામાં ફરી રહ્યો છે. જે આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વરસીલા ગામે આવી પહોંચતાં ગામવાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
સરકારની વિવિધ શાખાઓની કલ્યાણકારી યોજનાઓ વિશે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન માહિતી આપવામાં હતી. ઉપરાંત જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમ અંતર્ગત ઉજ્જ્વલા યોજનાના 09 લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. 12 જેટલા લાભાર્થીઓએ બેંક ઓફ ઇન્ડિયા ની વીમા યોજનાઓનો લાભ લીધો હતો. સ્થળ પર લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો નંદાજી ઠાકોર, જિલ્લાના અઘિકારીઓ, ગામના આગેવાનો, શાળાના સ્ટાફ તેમજ ઉપરાંત ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.