પાટણની એપીએમસી ખાતે પ્રાકૃતિક અને ઓર્ગેનિક આધારિત ખેતી વિષીયક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

પાટણ
પાટણ

પાટણની એપીએમસી ખાતે નવનિયુક્ત ચેરમેન સ્નેહલ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક અને ઓર્ગેનિક તથા ગૌ આધારિત ખેતી કરતા શ્રેષ્ઠ ખેડૂતો સાથે પરી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતો સાથે એકબીજા ના સંવાદની આપલે કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આગામી દિવસોમાં પ્રાકૃતિક ઉત્પાદનોની ખરીદી તેમજ વેચાણ વ્યવસ્થા કરી શુદ્ધ સાત્વિક અને નેચરલ કેમિકલ વિનાના ફળ, શાકભાજી તથા ધાન ઘર બેઠા ઉપલબ્ધ થાય તે માટેનો 50 જેટલા કિસાનો સાથે સંવાદ કરાયો હતો. તો ખેડૂતો સાથે એકબીજાના સંવાદની આપલે કરવામાં આવી હતી.


આ સંવાદ કાર્યક્રમમાં આત્મા કેવિટીના અધિકારીઓ સાથે દર્શકભાઈ ત્રિવેદી, ભીખાભાઇ ખેર, મગનલાલ પટેલ, ભરતભાઇ પટેલ, વેલાભાઈ ચૌધરી, રમેશભાઈ દેસાઈ, રાજેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સંવાદ કાર્યક્રમનું આયોજન APMCના સેક્રેટરી ઉમેદભાઈ તથા સૌ કર્મઠ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.