![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/પાટણના-શિહોરી-ત્રણ-રસ્તા-પાસે-સકૅલ-01-hed.jpg)
સકૅલ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત તાત્કાલિક પાટણ શિહોરી ત્રણ રસ્તા પાસે સકૅલ બનાવવામાં આવે
પાટણ જિલ્લા સમસ્યા મંચ (સુચિત) ના સંયોજક દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજુઆત કરવામાં આવી છે કે પાટણ શિહોરી ત્રણ રસ્તા પાસે સકૅલ બનાવવામાં આવે અને સકૅલ નુ નામ સરસ્વતી સકૅલ આપવામાં આવે આ સકૅલની જગ્યા ઉપર સરસ્વતીની પ્રતિમાં મુકવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
પાટણ શિહોરી ત્રણ રસ્તા ઉપર મોટા પ્રમાણમાં વાહનો નો ધસારો વધવા પામેલ છે જેનાથી કોઈ અકસ્માત થવાની ભીતી સેવાઈ રહેલ છે તેથી આ આ વિસ્તારની પ્રજાની લોક માગણીને ધ્યાને રાખીને અમો આપને વિનંતી સાથે રજૂઆત કરીએ છીએ કે આ રોડ ઉપર બનાસકાંઠાના શિહોરી તથા ડીસા તરફ જવાના આ ત્રણ રસ્તા ઉપર એક સકૅલ બનાવવામાં આવે તો નાના મોટા વાહનોને પ્રવેશવામા સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યા હળવી બની શકે અને અકસ્માત નો ભય પણ ઓછો રહે તેથી તાત્કાલિક પાટણ શિહોરી ત્રણ રસ્તા પાસે સકૅલ બનાવવામાં આવે અને સકૅલ નુ નામ સરસ્વતી સકૅલ આપવામાં આવે તેમજ આ સકૅલની જગ્યા ઉપર વિધાની દેવી માઁ સરસ્વતીની પ્રતિમાં મુકવામાં આવે તેવી રજૂઆત પાટણ જિલ્લા સમસ્યા મંચ (સુચિત) ના સંયોજક દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પાટણ જિલ્લા કલેકટર અને કાર્યપાલક ઇજનેર માગૅ અને મકાન વિભાગ પાટણ જિલ્લાને લેખિતમા રજૂઆત કરવામાં આવી છે.