![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/રોકડના-બદલામાં-હેડ.jpg)
રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં દીવાલ ધરાશાયી થતાં 20 ઘેટાંના મોત,10જેટલાં ઘેટાં ઘાયલ
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે કમાલપુર ગામમા રહેતા ઠાકોર વાલાભાઈ પંચાણભાઈ ના ઘર જોડે તેમની દીવાલ 50 ફૂટ જેટલી ધરાશાયી થતાં તેમની બાજુમાં આવેલ વાડામા બલાભાઈ ભાનુભાઈ ભરવાડ ના ઘેટાં દટાયા હતા અને 20 જેટલાં ઘેટાંમા મોત નીપજ્યા છે અને 10 જેટલાં ઘેટાં ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળે ગામ લોકો ના ટોળેટોળા ઉમટ્યા હતા અને કમાલપુર ગામ લોકો એ મૂર્તક થનાર ઘેટાં ના મૂર્તદેહ ને બહાર નીકાડયા અને ઘાયલ ઘેટાં ને સારવાર કરવામાં આવી છે દીવાલ ધરાસાઈ થવાનું કારણ હજુ સુધી અંકબંધ છે.