![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/cm-bi.png)
બિહારનાં CM નીતિશ કુમારની તબિયત બગડી
- CM નીતિશ કુમારની તબિયત લથડી
- CM નીતિશ કુમારને સિઝનલ ફ્લુ હોવાનું સામે આવ્યું
- રાજગીર મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે નહીં
બિહારના CM નીતિશ કુમારની તબિયત લથડી છે. હાલ મુખ્યમંત્રી આવાસમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. CM નીતિશ કુમારને સિઝનલ ફ્લુ છે. તેમને તાવની સાથે શરદી-ખાંસીની પણ ફરિયાદ છે. તેઓ ડોક્ટર્સની સલાહ પર દવાઓ લઈ રહ્યા છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી કોઈ પણ પ્રકારની બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. તેઓ આજે રાજગીર મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે નહીં.