![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/baba-r.png)
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત બાદ બાબર આજમનુ મોટું નિવેદન, એક તીરથી સાધ્યા બે નિશાન
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. દિલ્લીમાં 17 ભારતીય ખેલાડીઓના નામની ઘોષણા કરવામાં આવી. જો કે, એનાં પછી શ્રીલંકામાં ઉપસ્થિત પાકિસ્તાનનો કેપ્ટન બાબર આજમે એક મોટું નિવેદન આપ્યું છે. તેણે જે કહ્યું તેનાં આધારે વાસ્તવમાં તે એક તીરથી બે નિશાન લગાવતો જોવાં મળ્યો છે. બાબરે પોતાનાં નિવેદનથી અફઘાનિસ્તાનને પણ સ્પષ્ટ સંદેશો આપ્યો અને ભારતને પણ એશિયા કપમાં થનારા મુકાબલાથી પહેલાં ચેતવણી આપવાની કોશિશ કરી છે.
હવે સવાલ એ છે કે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે શું કહ્યું? તો તેણે શ્રીલંકામાં 21 ઓગસ્ટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. બાબરની આ પ્રેસ કોન્ફરન્સ અફઘાનિસ્તાન સામેની વનડે સીરીઝને લઈને હતી. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન સામેની સીરીઝ હજુ ચાલુ છે, પરંતુ બાબર આઝમ પહેલાથી જ શ્રીલંકામાં હાજર છે. બાબર પહેલા ત્યાં લંકા પ્રીમિયર લીગમાં રમી રહ્યો હતો.
જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં બાબર આઝમને પૂછવામાં આવ્યું કે તેઓ આટલા લાંબા સમયથી શ્રીલંકામાં છે તો તેમને કેવું લાગે છે? તેના પર પાકિસ્તાનના કેપ્ટને કહ્યું કે શ્રીલંકા તેના માટે બીજા ઘર જેવું છે. તેને અહીં રહીને સારું લાગે છે.અફઘાનિસ્તાન પાકિસ્તાન સામેની 3 વનડે સીરીઝનું યજમાન છે. હવે તેના દ્વારા આયોજિત સિરીઝ પહેલા, પાકિસ્તાનના કેપ્ટન શ્રીલંકાને પોતાનું ઘર કહે છે તે તેના માટે ચેતવણીની ઘંટડીથી ઓછું નથી.
બીજી તરફ, બાબરના નિવેદનનો સમય અહીં દિલ્હીમાં એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પછી જ હતો. 2 સપ્ટેમ્બરે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન પ્રથમ વખત ટકરાવાના છે. હરીફાઈ માત્ર શ્રીલંકાની ધરતી પર છે, જેને બાબર આઝમ પોતાનું બીજું ઘર કહી રહ્યા છે. મતલબ કે તેઓ એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પાકિસ્તાન અને શ્રીલંકાની સ્થિતિમાં બહુ ફરક નથી. એટલા માટે પહેલા અફઘાનિસ્તાન અને પછી એશિયા કપમાં ભારતનો મુકાબલો કરવો કેટલો આસાન બની શકે છે.
બાબર આઝમનું જે કહેવું હતું તે તેણે કહ્યું. ભારત સાથેની ટક્કર હજુ દૂર છે. શક્ય છે કે તે પહેલા અફઘાનિસ્તાન પોતે જ તેની કટ્ટરતાનો જડબાતોડ જવાબ આપે. છેવટે, તેના માટે પણ પાકિસ્તાનની સીરીઝ એશિયા કપની મેચ પ્રેક્ટિસ જેવી છે.