રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સાબરકાંઠા10 એપ્રિલ, 2025| Super Admin

સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરાઇ

સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરાઇ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી અને આયુર્વેદશાખા જિલ્લા પંચાયત, સાબરકાંઠાના ઉપક્રમે વિશ્વ હોમિયોપેથી દિવસ ૨૦૨૫ની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષદભાઈ વોરાની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. આ ઉજવણી નિમિત્તે તા ૭ એપ્રિલ થી ૧૦ એપ્રિલ  દરમિયાન વિવિધ તાલુકામાં નિદાન સારવાર કેમ્પ,ચાર્ટ પ્રદર્શન, આરોગ્ય જાગૃતિ ને લગતો વર્કશોપ સાથે વિવિધ પત્રિકા વિતરણ યોગા જેવા કાયકર્મ કરવામાં આવી રહ્યા છે. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ પ્રજ્ઞાબેન શાહ દ્વારા કેમ્પમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પોનો લાભ જિલ્લાના ૩ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. આજે ૧૦ એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસે જિલ્લાના હિમતનગર, પ્રાંતિજ, ઇડર અને પોશીના તાલુકામાં નીશુલ્ક નિદાન- સારવાર કેમ્પ તથા આયુષના પ્રચાર પ્રસારનાં વર્કશોપ નું પણ આયોજન કરવામાં આવેલું  છે. આ કેમ્પમાં જિલ્લા પંચાયતના અન્ય સદસ્યો હાજર રહી આયુર્વેદશાખા ની વિવધ પ્રવુતિને બિરદાવી હતી.

સંબંધિત સમાચાર