રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા3 એપ્રિલ, 2026| Super Admin

ડીસા પંથકમાં વાતાવરણ પલટાયું : ઝરમર વરસાદને પગલે જગતનો તાત ચિંતાતુર

ડીસા પંથકમાં વાતાવરણ પલટાયું : ઝરમર વરસાદને પગલે જગતનો તાત ચિંતાતુર

​ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજે હવામાન વિભાગની આગાહીના પગલે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ જતાં અને પવન ફૂંકાતા ખેડૂતોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ડીસા શહેર તેમજ થેરવાડા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે ઝરમર વરસાદ પડતા તૈયાર પાકને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.

​​છેલ્લા કેટલાક સમયથી મહેનત કરીને પકવેલો પાક જ્યારે લણણીના આરે છે, ત્યારે જ કુદરતે મિજાજ બદલતા ખેતી પાકો પર જોખમ તોળાઈ રહ્યું છે. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે ​જીરું, વરિયાળી અને રાયડા જેવા રોકડિયા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.ખેતરમાં કાપણી કરેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા ખેડૂતોએ ભારે જહેમત ઉઠાવી હતી.​માર્કેટ યાર્ડમાં પણ ખુલ્લામાં રહેલો માલ પલળી ન જાય તે માટે વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ જોવા મળી હતી.​પાક વેચવા માટે ખેડૂતોની ઉતાવળ ​સંભવિત માવઠાના કારણે પાકની ગુણવત્તા બગડવાની બીકે અને આર્થિક નુકસાનથી બચવા માટે ખેડૂતો ઉતાવળે પાક લણીને વેચવા માટે મજબૂર બન્યા છે. ડીસા પંથકમાં ઝરમર વરસાદના સમાચાર વહેતા થતા જ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના કામકાજમાં તેજી જોવા મળી હતી. ખેડૂતો અત્યારે માત્ર એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા વિરામ લે અને પાક સુરક્ષિત રીતે ઘરે આવી જાય.

સંબંધિત સમાચાર