વાવ ધરણીધર તાલુકામાં દિન પ્રતિદિન માઇનોર અને સબ માઇનોર કેનાલો તૂટી રહી છે. હમણાં છેલ્લા એક સપ્તાહમાં સરહદી વાવ ધરણીધર પંથકમાં 6 થી વધુ જગ્યા પર માઇનોર તૂટી છે. પરંતુ આછુવા ખાતે ચાર દિવસ અગાઉ રીપેર કરેલી માઇનોર 2 1700 ફરી પાછી તૂટી જતાં ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.જે બાબતે રાછેણા ગામના ખેડૂત તેમજ જાગૃત સરપંચ કિરણસિંહ રાજપુતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.કે કેનાલોમાં સફાઈ રિપેરીગના નામે ભારે ગેરરીતિઓ ચાલી રહી છે. દિન પ્રતિદિન કેનાલો તૂટી રહી છે. ત્યારે ખેડૂતો બુમરાડ કરી રહ્યા છે. કોંટાકટરો મૂછોમાં મરક મરક હસી રહ્યા છે. નર્મદા કેનાલના જવાબદારો ભર નિંદ્રામાં સુઈ રહ્યા છે. જોકે કેનાલો માઇનોર તૂટતાં ખેડૂતોને રવિ સિઝન લેવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે જીલા કલેકટર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી ખેડૂતોને ન્યાય અપાવે તેવી વાવ ધરણીધર પંથકના ખેડૂતોની ઉગ્ર માંગ છે.
વાવની આછુવા માઇનોર કેનાલ 2 ફરી તૂટી ખેડતોમાં ઉગ્ર રોષ

સંબંધિત સમાચાર
વાવ-થરાદથરાદના મુખ્ય માર્ગો પર પ્રાઇવેટ લક્ઝરી બસોનું બેફામ પાર્કિંગ અકસ્માતનો ભય વધતા લોકો પરેશાન
1 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદ પંચાયત કચેરીમાં તંત્રની બેદરકારી: ફાયર સેફ્ટીના સિલિન્ડરો એક્સપાયર!
1 દિવસ પહેલા
વાવ-થરાદઓગડ તાલુકાના વડા ગામે સ્મશાન ભૂમિમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
1 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદના રાછેણામાં જામ્યો સુરખાબનો મેળો: વિદેશી પક્ષીઓ જોવા લોકોના ટોળાં ઉમટ્યા
1 દિવસ પહેલા
