જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા,સ્થાનિક ઇસમે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વડગામ તાલુકાના પીરોજપુરા ગામની સીમમાં બુધવાર સવારે ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલત માં ૧૫ પાડાઓ ના મૃતદેહ મળતા પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી.ઘટના ની જાણ થતાં છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના પીરોજપુરા થી ડુંગરિયાસણ ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલ આંબેડકર નગર પાસે બુધવાર સવારે ક્રૂરતા પૂર્વક પગ અને ગળાના ભાગે રસ્સી થી બાંધેલી હાલત માં ૧૫ પાડા ના મૃતદેહ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટના ની જાણ ગામના જગદીશભાઈ પરમાર ને થતા તેઓ એ છાપી પોલીસ ને જાણ કરતા પીઆઇ હીનાબેન વાઘેલા, સુરેશભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં પાડા એક થી દોઢ વર્ષ ની ઉંમર ના હોવાનું જાણવા મળે છે.અને કોઈ ઇસમ દ્રારા ક્રૂરતા પૂર્વક મારી ને ફેંકી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.આ બાબતે જગદીશભાઈ પરમારે અજાણ્યા ઇસમ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ આધારે છાપી પોલીસ ગુનાની ગંભીરતા લઈ તપાસ હાથ ધરી હતી.
વડગામના પીરોજપુરા પાસે થી ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં ૧૫ પશુઓ ના મૃતદેહ મળતા ચકચાર

સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ બનાસ નદીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર હાઈવે પર સ્પા સેન્ટર ઉપર દરોડો : થાઈલેન્ડની 5 યુવતીઓ સહિત 7 ની અટકાયત
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના હવાઇ પિલર નજીકથી મોટર સાયકલની ચોરી : પોલીસ ફરિયાદ નોંધાઈ
2 દિવસ પહેલા
બનાસકાંઠારાજ્યસભાના ઉપાધ્યક્ષે પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા
2 દિવસ પહેલા
