જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા,સ્થાનિક ઇસમે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વડગામ તાલુકાના પીરોજપુરા ગામની સીમમાં બુધવાર સવારે ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલત માં ૧૫ પાડાઓ ના મૃતદેહ મળતા પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી.ઘટના ની જાણ થતાં છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના પીરોજપુરા થી ડુંગરિયાસણ ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલ આંબેડકર નગર પાસે બુધવાર સવારે ક્રૂરતા પૂર્વક પગ અને ગળાના ભાગે રસ્સી થી બાંધેલી હાલત માં ૧૫ પાડા ના મૃતદેહ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટના ની જાણ ગામના જગદીશભાઈ પરમાર ને થતા તેઓ એ છાપી પોલીસ ને જાણ કરતા પીઆઇ હીનાબેન વાઘેલા, સુરેશભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં પાડા એક થી દોઢ વર્ષ ની ઉંમર ના હોવાનું જાણવા મળે છે.અને કોઈ ઇસમ દ્રારા ક્રૂરતા પૂર્વક મારી ને ફેંકી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.આ બાબતે જગદીશભાઈ પરમારે અજાણ્યા ઇસમ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ આધારે છાપી પોલીસ ગુનાની ગંભીરતા લઈ તપાસ હાથ ધરી હતી.
વડગામના પીરોજપુરા પાસે થી ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં ૧૫ પશુઓ ના મૃતદેહ મળતા ચકચાર

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
20 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
22 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
