રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ21 ઑગસ્ટ, 2026| Super Admin

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે થરાદ કોંગ્રેસ સમિતિનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે થરાદ કોંગ્રેસ સમિતિનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

રસ્તો રોકતા પોલીસે આગેવાનો અને કાર્યકરોની કરી અટકાયત

ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર દુર્ઘટનાના વિરોધમાં આજે થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કરતા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન થરાદ કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ધરણા પ્રદર્શન બાદ રોષે ભરાયેલા કાર્યકરો થરાદના વ્યસ્ત એવા ત્રણ રસ્તા સર્કલ પર પહોંચ્યા હતા. અને ત્યાં રસ્તો રોકીને વિરોધ નોંધાવ્યો હતો. આ રસ્તાવરોધના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે રાહદારીઓ અને સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા.વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તેમજ ટ્રાફિકને પૂર્વવત અને ક્લિયર કરવા માટે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચીને વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી અને ટ્રાફિક વ્યવહારને ફરી સુચારુ બનાવ્યો હતો.

સંબંધિત સમાચાર