બનાસકાંઠાના થરાદ નજીક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ફરી એકવાર આત્મહત્યાના પ્રયાસને લીધે ચર્ચામાં આવી છે, જ્યાં એક અજાણ્યા યુવાને અગમ્ય કારણોસર કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. કેનાલ કિનારેથી યુવાનનું બાઇક અને કિંમતી સામાન મળી આવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને પગલે થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અને કેનાલના ઊંડા પાણીમાં યુવાનને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
થરાદ નર્મદા કેનાલમાં આત્મહત્યાની શંકા: યુવાને ઝંપલાવતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ

સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભરના ચાત્રા ગામનો મુખ્ય પ્રવેશ માર્ગ જર્જરિત, ગ્રામજનોમાં ભારે રોષ
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવ પંચાયતનું સ્થળાંતર વિવાદમાં: જૂની ઇમારતમાં કામકાજ શરૂ છતાં નવું મકાન અધૂરું
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવના મોરિખા ગામે વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
5 દિવસ પહેલા
વાવ-થરાદભાભરમાં LCBની રેડ: જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
