રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા31 ડિસેમ્બર, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં ખનન માફિયાઓ પર ભૂસ્તર વિભાગની લાલ આંખ

બનાસકાંઠા જિલ્લામાં ખનન માફિયાઓ પર ભૂસ્તર વિભાગની લાલ આંખ
9 માસમાં 941 કેસ કરી રૂ. 126 કરોડની ઐતિહાસિક આવક મેળવી ​બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વગર દોડતા વાહનો રોકવા માટે ભૂસ્તર વિભાગે આક્રમક અભિગમ અપનાવ્યો છે. ભૂસ્તર વિભાગ દ્વારા ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધી માત્ર નવ માસમાં 941 જેટલા કેસો કરી રૂ.126 કરોડ ઉપરાંતની મહેસુલી આવક મેળવી છે. બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અલગ-અલગ ટીમો બનાવી સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવતા ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં બનાસકાંઠા ભૂસ્તર વિભાગે કુલ રૂ.126.77 કરોડની વિક્રમી મહેસુલી આવક મેળવી છે. ​ચાલુ વર્ષ ડિસેમ્બર મહિનામાં ભૂસ્તર વિભાગ દ્વારા માત્ર એક જ માસમાં રૂ.18.04 કરોડની આવક થઈ છે, જે જિલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીની કોઈ પણ એક મહિનાની સૌથી વધુ આવક છે. ​ગેરકાયદેસર રેત ખનન અને રોયલ્ટી ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવતા ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં કુલ 941 કેસ દાખલ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ રૂ.18.50 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. માત્ર ડિસેમ્બર મહિનામાં જ 139 કેસો કરી રૂ.3.16 કરોડની વસૂલાત કરવામાં આવી છે. આ અંગે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે અમારી ટીમો ૨૪ કલાક સક્રિય છે. ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વગર બિનઅધિકૃત રીતે ખનીજ ચોરી કરતા તત્વો સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત ફોજદારી કેસો પણ કરવામાં આવ્યા છે. રોયલ્ટી વગરના વાહનો અને બિનઅધિકૃત ખનન સામે આગામી સમયમાં હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે.    

સંબંધિત સમાચાર