રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા9 સપ્ટેમ્બર, 2025| Super Admin

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવા છતાં, વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ એક સાચા લોકસેવક તરીકેની ફરજ નિભાવી છે. તાજેતરમાં થરાદ પંથકમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત વિસ્તારોની તેમણે મુલાકાત લીધી. શંકરભાઈ ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકો સાથે સીધો સંવાદ કર્યો અને તેમની મુશ્કેલીઓ જાણી. તેમણે અસરગ્રસ્તો માટે ભોજન, પીવાનું પાણી અને તાત્કાલિક તબીબી સેવાઓ સહિતની આવશ્યક વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન, તેમણે વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી રાહત કામગીરીની સમીક્ષા કરી અને તેને વધુ ઝડપી બનાવવા માટે જરૂરી સૂચનો પણ આપ્યા. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લોકોને સલામત સ્થળે ખસેડવા, ફૂડ પેકેટ પહોંચાડવા અને તબીબી સહાય પૂરી પાડવા જેવા કાર્યો સતત ચાલી રહ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં, શંકરભાઈ ચૌધરીએ પોતાના મત વિસ્તારના લોકોની ચિંતા કરી અને તેમની પડખે ઊભા રહીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ મુલાકાતથી સ્થાનિક લોકોમાં રાહત અને આશ્વાસનનો ભાવ જોવા મળ્યો હતો.      

સંબંધિત સમાચાર