રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય13 મે, 2026| Super Admin

સપા નેતા મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવનું માત્ર 38 વર્ષની ઉંમરે અવસાન

સપા નેતા મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવનું માત્ર 38 વર્ષની ઉંમરે અવસાન

ઉત્તર પ્રદેશથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિવંગત સપા નેતા મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું નિધન થયું છે. અહેવાલો અનુસાર, પ્રતીક યાદવને લખનૌની સિવિલ હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. પ્રતીક યાદવના સાળા અને અપર્ણા યાદવના ભાઈ અમન બિષ્ટ હોસ્પિટલમાં હાજર હતા. પ્રતીક યાદવ માત્ર 38 વર્ષના હતા અને તેઓ પોતાની ફિટનેસ પ્રત્યે ખૂબ જ ગંભીર હતા. તેમના મૃત્યુથી સમાજવાદી પાર્ટી પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે. 

પ્રતિક યાદવ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, પરંતુ મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. આ લખાય છે ત્યારે પ્રતિક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. આ પાછળનું કારણ ટૂંક સમયમાં જાણી શકાશે. હાલમાં, એવું જાણવા મળી રહ્યું છે કે તેમને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.  પ્રતીક યાદવનું પોસ્ટમોર્ટમ તપાસવામાં આવશે, અને સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. ચાર ડોકટરોની ટીમ પોસ્ટમોર્ટમ કરશે.

સંબંધિત સમાચાર