ઉત્તર પ્રદેશથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિવંગત સપા નેતા મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું નિધન થયું છે. અહેવાલો અનુસાર, પ્રતીક યાદવને લખનૌની સિવિલ હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. પ્રતીક યાદવના સાળા અને અપર્ણા યાદવના ભાઈ અમન બિષ્ટ હોસ્પિટલમાં હાજર હતા. પ્રતીક યાદવ માત્ર 38 વર્ષના હતા અને તેઓ પોતાની ફિટનેસ પ્રત્યે ખૂબ જ ગંભીર હતા. તેમના મૃત્યુથી સમાજવાદી પાર્ટી પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
પ્રતિક યાદવ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, પરંતુ મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. આ લખાય છે ત્યારે પ્રતિક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. આ પાછળનું કારણ ટૂંક સમયમાં જાણી શકાશે. હાલમાં, એવું જાણવા મળી રહ્યું છે કે તેમને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પ્રતીક યાદવનું પોસ્ટમોર્ટમ તપાસવામાં આવશે, અને સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. ચાર ડોકટરોની ટીમ પોસ્ટમોર્ટમ કરશે.
સપા નેતા મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવનું માત્ર 38 વર્ષની ઉંમરે અવસાન

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયએર ઇન્ડિયાનો મોટો નિર્ણય! આ શહેરોની ફ્લાઇટ્સ સ્થગિત કરાઈ
1 કલાક પહેલા
રાષ્ટ્રીય358 કિલો હેરોઈન કેસમાં વોન્ટેડ ભાગેડુ ડ્રગ તસ્કર પ્રભદીપ સિંહને અઝરબૈજાનથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો
1 કલાક પહેલા
રાષ્ટ્રીયપોર્ટુગલની પ્રત્યાર્પણ મંજૂરી બાદ, NIA એ હિઝબુલ સાથે જોડાયેલા નાર્કો-ટેરરિસ્ટ ઇકબાલ સિંહ શેરાની ધરપકડ
2 કલાક પહેલા
રાષ્ટ્રીયગુજરાતમાં ટ્રાન્સફર એક્સપ્રેસ દોડી, 72 IAS અધિકારીઓની બદલી; ઘણા જિલ્લાઓને નવા કલેક્ટરો મળ્યા
2 કલાક પહેલા
