ઊંઝાથી કામલી રોડ પર આવેલ શ્રી ઝાપડા મહારાજના મંદિરે તસ્કરો ત્રાટક્યા હતા જે લોખંડના નકૂચો તોડી મંદિરની અંદર પ્રવેશ કરી ચાંદીના મુગટ છતર સહિત દાગીના મળી કુલ કી રૂ 1,20, 000ની ચોરી કરી લઈ જતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા કામલી રોડ પર શ્રી ખોડિયાર માતાજીના મંદિરની સામે શ્રી ઝોપડા મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરના લોખંડનો દરવાજાનો નકૂચો તોડી મંદિરની અંદર પ્રવેશ કર્યો હતો અને ચાંદીનો મુગટ નંગ 1, લોટા 2, ચાંદીના દીવા નંગ 2, છત્રર નાના મોટા નંગ 5, ચાંદીની ઘંટડી 1તેમજ કંકાવટી 1 મળી કુલ રૂ 1,20,000 ની ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે દિનેશભાઈ અમરતલાલ પ્રજાપતિ રહે ઊંઝાના નિવેદનને આધારે કોઈ અજાણ્યો ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા કામલી રોડ પર આવેલા ઝાપડા મહારાજના મંદિરે તસ્કરો ત્રાટકયા

ટેગ્સ:#Criminal Investigation#Temple Theft#Smuggling Incident#FIR registered#Unjha Police Case#Religious Artifact Theft#Temple Vandalism#Unjha Kamli Road#Unjha Town
સંબંધિત સમાચાર
મહેસાણાશક્તિપીઠ બેચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાનો થનગનાટ: વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
12 કલાક પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના રૂ.૩૮.૫૭ કરોડના આવાસોનું વડાપ્રધાન ઈ-લોકાર્પણ કરશે
12 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી
2 દિવસ પહેલા
