ઊંઝા ગંજબજાર કે જે મસાલાના વેપારનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં અત્યારે જીરાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ભાવમાં નોંધપાત્ર ગાબડું પડ્યું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ પ્રતિદિન ૧૭ થી ૧૮ હજાર બોરી જીરાની આવક થઈ રહી છે. જોકે, તેની સામે ભાવમાં ભયંકર મંદીનો માહોલ છે. એક જ અઠવાડિયામાં ૨૦ કિલો દીઠ ૧૫૦ થી ૨૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ ૪૦૦૦ થી ૪૧૦૦ ના ભાવે વેચાતું જીરું અત્યારે ૩૮૦૦ થી ૩૯૦૦ ના સ્તરે પહોંચ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટ બંધ જેવું છે અને સ્થાનિક ગરાકી પણ નહિવત હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ખેડૂતો અને વેપારીઓને ૨૦ કિલોએ ૨૦૦ થી ૨૫૦ રૂપિયા જેટલું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ૧૭ હજાર બોરીની આવક સામે માત્ર ૭-૮ હજાર બોરીનો જ વેપાર થઈ રહ્યો છે, જ્યારે બાકીનો માલ વખારોમાં પડ્યો છે. જીરાના ગઢ ગણાતા ઊંઝામાં અત્યારે તેજી ગાયબ જોવા મળી રહી છે, જેની સીધી અસર વેપારીઓ અને ખેડૂતોના આર્થિક સરવૈયા પર પડી રહી છે.
મસાલા નગરીમાં મંદીનો ફટકો: ઊંઝામાં જીરાના ઘટતા ભાવે જગતના તાતની મુશ્કેલી વધારી

સંબંધિત સમાચાર
મહેસાણાકડીના રાજપુરમાં કેમિકલયુક્ત લાલ પાણીનો ખતરો: ખેતી અને જનજીવન પર તોળાતું ભયંકર સંકટ
3 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના બહુચરાજીની તેજપુરા-કાનપુરા કેનાલ બ્રિજ જર્જરિત, મોટી દુર્ઘટનાનો ભય
3 દિવસ પહેલા
મહેસાણામહેસાણા મનપાની પ્રથમ સભા: ભારે ખેંચતાણ વચ્ચે વિકાસ કાર્યો મંજૂર
3 દિવસ પહેલા
મહેસાણાઉનાવામાં વરિયાળીને લીલી કરવાનું કૌભાંડ ઝડપાયું: ₹8.57 લાખનો જથ્થો જપ્ત
3 દિવસ પહેલા
