- હોમ
- /Uncategorized
- /રાધનપુર માંથી બીલવગર કુલ-52 મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ
રાધનપુર માંથી બીલવગર કુલ-52 મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ

પાટણ એસ.ઓ.જી ટીમે બાતમીના આધારે બીલ વગરના 52 મોબાઇલ સાથે એક શખ્સની રાધનપુર ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓ તરફથી મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે પો.ઇન્સ.આર.જી.ઉનાગર એસ.ઓ.જી.પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણ ટીમના માણસો સ.વા.માં રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન રાધનપુર, મસાલી રોડ પાસે આવતા બાતમી હકીકત મળેલ કે એક ઇસમ મો.સા.નં. GJ-08-AA-5545 વાળો તેની પાસેના થેલામાં બીલ વગરના મોબાઇલ ફોન લઇને રાધનપુર, ભાભર ત્રણ રસ્તા, પુલની નીચે ઉભેલ છે.
બાતમી આધારે તપાસમાં રહેતા પ્રવિણ કુમાર રૂગનાથભાઇ રામજીભાઇ જાતે.જોષી ઉ.વ.આ.20 રહે.સુરાણા તા.દિયોદર જિ.બ.કાંઠાવાળો ઇસમ મળી આવેલ જેને મો.સા. સંબંધે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી કે પુરાવા રજુ કરી શકેલ નહી જેથી તેની અંગઝડતી તેની બેગ માંથી કિપેડ વાળા કુલ-52 મોબાઇલ મળી આવેલ જે સંબંધે પણ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-35(1)(ઇ) મુજબ અટક કરી ઘટીત કાર્યવાહી કરવા સારૂ રાધનપુર પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
