પાટણ શહેરમાં ગાયત્રી મંદિર રોડ પરની ગંદકીથી રહિશો પરેશાન બન્યા છે ત્યારે આ બાબતે સ્થાનિક અયોધ્યાનગર સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ કચરાનો પોઇન્ટ નથી છતાં લોકો રોજે રોજ આ વિસ્તારમાં કચરો ફેંકતા હોય છે અને આ કચરાને કારણે રખડતાં ઢોરોનો ત્રાસ પણ અસહ્ય બની રહ્યો છે. તો દિવસ દરમ્યાન રોડ ઉપર પડી રહેતા કચરાના ઢગલા ઓના કારણે અડધો રોડ પેક થઈ જાય છે. જેના કારણે સ્થાનિક લોકો ને તેમજ માગૅ પર થી પસાર થતાં લોકો ને પણ અવરજવર કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ત્યારે પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંદકી દૂર કરી સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરી છે.
પાટણ શહેરમાં ગાયત્રી મંદિર રોડ પરની ગંદકીથી રહિશો પરેશાન બન્યા..!

ટેગ્સ:#Patan city#Community Concerns#Public Health and Safety#waste management#Urban Infrastructure#Road Obstruction#Stray Cattle Problems#Garbage Issues#Gayatri Temple Road#Ayodhyanagar Society#Local Residents' Complaints#Municipal Cleanliness
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
2 દિવસ પહેલા
પાટણચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી
2 દિવસ પહેલા
પાટણમોઢેરા રોડ પર સાપને બચાવવા જતા રિક્ષા પલટી: સદનસીબે મોટી જાનહાનિ ટળી
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ફૂડ વિભાગે ચેકિંગ દરમ્યાન 700 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કર્યો
4 દિવસ પહેલા
