રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા19 જૂન, 2025| Super Admin

ઊંઝા હાઈવે પર નવિન બ્રિજમાં ગાબડું પડતા જવાબદાર કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત

ઊંઝા હાઈવે પર નવિન બ્રિજમાં ગાબડું પડતા જવાબદાર કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત
ઊંઝા પાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ કે પટેલ દ્રારા ચીફ સેક્રેટરીને રજુઆત; ઊંઝા હાઈવે પર એપીએમસી સર્કલ ઉપરના સ્ટેટ હાઈવે એસએચ 41 નવીન બ્રિજમાં ગાબડું પડતા જવાબદાર કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવા મુદ્દે ઊંઝા પાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે ચીફ સેક્રેટરી ગુજરાતને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્ટેટ રોડ પ્રોજેક્ટ અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ સ્ટેટ રોડ પ્રોજેક્ટ ઓથોરિટી- રોડ એન્ડ બિલ્ડિંગ (R&B) ડિપાર્ટમેન્ટ માં ચાલતિ લાલિયાવાડી અને ઘેરરીતિ ઓના કારણે અનેકો કામો હાલકી ગુણવત્તા થી થયેલ જોવા મળે છે, જેના કારણે સરકારની છબી ખરડાય છે, પરિણામે રોડ રસ્તામાં પડેલ ખાડા ઓના કારણે અનેકો વાહન ચાલકો ગંભીર અકસ્માતોનો ભોગ બને છે, ઊંઝા APMC સર્કલ ઉપરના SH-41 ઓવર બ્રિજ પર એકા એક ઝરમર વરસાદમાં આજ રોજ ભ્રષ્ટાચારનું મોટું ગાબડું પડયું છે તેમજ લોખંડની ખીલારી ઓ બહાર નીકળી જાણે કોઈ નિર્દોષ વાહન ચાલકોનો જીવ લેવા આતુર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, માં ઉમિયાની કૃપા થી વર્તમાન સમય સુધી કોઈ વ્યક્તિ આ ઘટનાનો ભોગ નથી બન્યો, જો તંત્ર સત્વરે બ્રિજ ઉપર ભ્રષ્ટાચાર ગાબડુંનું બેરી કેટિંગ કે વાહન વ્યવહાર ડાયવર્ઝન નહીં આપે તો મોટી દુર્ઘટના ઘટી શકે છે જે અંગે જરૂરી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરશો તેમજ સુપરવિઝન,એન્જિનિયર સહિત જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત છે.

સંબંધિત સમાચાર