રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ14 એપ્રિલ, 2026| Super Admin

પાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી

પાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી

પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ ભારત મુક્તિ મોરચા, રાષ્ટ્રીય પીછડા વર્ગ (ઓબીસી) મોરચા, બહુજન ક્રાંતિ મોરચા તથા રાષ્ટ્રીય પરિવર્તન મોરચાના સંયુક્ત ઉપક્રમે “ઇવીએમ મશીન હટાવો – લોકતંત્ર બચાવો, બેલેટ પેપરથી ચૂંટણી યોજો” જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર ગોષ્ઠિ યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરીને “જય ભીમ, જય સંવિધાન, જય મૂળનિવાસી” ના નારાઓ સાથે કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં બૌદ્ધ ભિક્ષુ પથિક ભન્તેએ સમાનતા અને ભાઈચારાના બૌદ્ધ વિચારોથી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન રવિન્દ્રસિંહ બિદાવત (રાષ્ટ્રીય પ્રભારી, ક્ષત્રિય મૂળનિવાસી મહાસંઘ) દ્વારા કરવામાં આવ્યું હતું. વિચાર ગોષ્ઠિ દરમિયાન ઇવીએમ મશીનો દૂર કરીને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ સાથે ઓબીસી વર્ગની જાતિ આધારિત વસ્તી ગણતરી ન થવી, યુવાઓને કાયમી નોકરીના બદલે કરાર આધારિત ભરતીથી નુકસાન થતું હોવું જેવા મુદ્દાઓ પર ગંભીર ચિંતન વ્યક્ત કરવામાં આવ્યું હતું. વિવિધ નિવૃત અધિકારીઓ અને સામાજિક આગેવાનો દ્વારા પણ પોતાના વક્તવ્યમાં સામાજિક જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લોકશાહી પ્રણાલીના વિવિધ સ્તંભો પર ચર્ચા કરવામાં આવી હતી. અને સમાજના પછાત વર્ગોના હક્ક-અધિકારો અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર