રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સાબરકાંઠા23 માર્ચ, 2025| Super Admin

ખાનગી એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો

ખાનગી એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો

અમદાવાદથી ઉત્તર પ્રદેશના અલ્હાબાદ તરફ મૃતદેહ લઈ જતી એક ખાનગી એમ્બ્યુલન્સ દલપુર ગામ નજીક અકસ્માતનો ભોગ બની છે. શનિવારે સાંજે 4 વાગ્યે અમદાવાદથી નીકળેલી એમ્બ્યુલન્સ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 49 પર દલપુર ગામ પાસેના ઓવરબ્રિજ પર પહોંચી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. એમ્બ્યુલન્સ ઓવરબ્રિજના ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર યુપીના 7 પરિવારજનોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તમામ ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર