બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે પાંથાવાડા અને દાંતીવાડાના આગેવાનોએ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી પાંથાવાડાને તાલુકા મથકનો દરજ્જો આપવાની માંગ કરી છે.દાંતીવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઘાડીયા અને પાથાવાડા એપીએમસીના વાઈસ ચેરમેન ગણપતભાઈ આકોલીયાએ પાથાવાડાને તાલુકા મથકનો દરજ્જો આપવા માટે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતુ કે, પાંથાવાડા આજુબાજુના 60 ગામોનું સેન્ટર છે પણ આ ગામોનો ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં સમાવેશ થયેલ હોઈ લોકોને મુશ્કેલીઓ પડે છે. પાંથાવાડામાં સરકારી કચેરીઓ સહિતની તાલુકાને લગતી સવલતો છે અગાઉ 1997 માં તાલુકાનો દરજ્જો અપાયો હતો ત્યારે હવે નવા તાલુકાઓની રચનામાં પાંથાવાડાને પ્રાથમિકતા આપવાની માંગ કરી હતી.
પાંથાવાડાને તાલુકા મથકનો દરજ્જો આપવા આવેદનપત્ર

સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં 25થી 30 વર્ષ જૂનાં વૃક્ષોનું નિકંદન: પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ
1 દિવસ પહેલા
