બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે પાંથાવાડા અને દાંતીવાડાના આગેવાનોએ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી પાંથાવાડાને તાલુકા મથકનો દરજ્જો આપવાની માંગ કરી છે.દાંતીવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઘાડીયા અને પાથાવાડા એપીએમસીના વાઈસ ચેરમેન ગણપતભાઈ આકોલીયાએ પાથાવાડાને તાલુકા મથકનો દરજ્જો આપવા માટે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતુ કે, પાંથાવાડા આજુબાજુના 60 ગામોનું સેન્ટર છે પણ આ ગામોનો ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં સમાવેશ થયેલ હોઈ લોકોને મુશ્કેલીઓ પડે છે. પાંથાવાડામાં સરકારી કચેરીઓ સહિતની તાલુકાને લગતી સવલતો છે અગાઉ 1997 માં તાલુકાનો દરજ્જો અપાયો હતો ત્યારે હવે નવા તાલુકાઓની રચનામાં પાંથાવાડાને પ્રાથમિકતા આપવાની માંગ કરી હતી.
બનાસકાંઠા11 ફેબ્રુઆરી, 2025
પાંથાવાડાને તાલુકા મથકનો દરજ્જો આપવા આવેદનપત્ર

સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
1 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
2 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
