રખેવાળ
બ્રેકિંગ
મહેસાણા6 મે, 2025| Super Admin

મહેસાણાની આંગણવાડી ભોજનમાંથી જીવાત અને ધનેરા નીકળ્યા

મહેસાણાની આંગણવાડી ભોજનમાંથી જીવાત અને ધનેરા નીકળ્યા

મહેસાણાની આંગણવાડીમાં બાળકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. નાના ભૂલકાઓના ક્લબલાટથી ગુંજતી આંગણવાડીઓમાં નાના ભૂલકાઓ સુરક્ષિત નથી રહી. આંગણવાડીમાં આપવામાં આવતા ભોજનમાં અવાર-નવાર જીવાત અને ધનેરા જોવા મળ્યા છે. ત્યારે મહેસાણાની એક આંગણવાડીમાં બાળકોને ભોજનમાં આપવામાં આવેલી ઢોકળીમાં પણ કાંઈક એવું દ્રશ્ય સામે આવ્યું છે. જ્યાં આંગણવાડીનાં બાળકોને આપેલી ઢોકળીમાંથી મરી ગયેલા ધનેરા તરતા નીકળ્યા છે. એક બાળકીએ આંગણવાડીમાં ન જમી ધોળકી પોતાની સાથે લાવેલા ટીફીનમા ઘરે જઈ ખાવા માટે લઈ ગઈ હતી. ઘરે વાલીએ ટીફીન ખોલીને જોતા દાળ ઢોકડીમાં ધનેરા નિકળ્યા હતા. જેના કારણે વાલીએ કેન્દ્ર ઉપર આવી રજુઆત કર્યા બાદ યોગ્ય જવાબ ન મળતા જિલ્લા સ્તરે રજુઆત કરી બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ અને રજુઆત કરી યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર