જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું; રતનપુર થી મેરવાડા વચ્ચેનો બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ

બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું; બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા કાયદો અને વ્યવસ્થા તથા સુખાકારી સગવડો સારૂ ગુજરાત પોલીસ (સને-૧૯૫૧ ના ૨૨ મા) અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મહત્વનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જે અંતર્ગત પાલનપુર તાલુકાના રતનપુર થી મેરવાડા ગામ વચ્ચે આવેલ બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ રૂટ ઉપર ભારે વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કરાયો છે.
ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટઃ-
(૧) રતનપુર ચોકડી થી મેરવાડા ચોકડી (પાલનપુર થી અંબાજી) જવા
> રતનપુર ચોકડી- લાલાવાડા- વગદા- ખારોડિયા- સેમોદ્રા- મેરવાડા ચોકડી (લંબાઈ-૧૨.૯ કિમી)
(૨) મેરવાડા ચોકડી થી રતનપુર ચોકડી (અંબાજી થી પાલનપુર) જવા
> મેરવાડા ચોકડી- સેમોદ્રા- ખારોડિયા- વગદા- લાલાવાડા- રતનપુર ચોકડી (લંબાઈ-૧૨.૯ કિમી) રહેશે.
આ પ્રતિબંધિત હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા ૧૩૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ, પોલીસ અધિક્ષક, બનાસકાંઠા-પાલનપુર, કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), બનાસકાંઠા-પાલનપુર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પાલનપુરની ભલામણને અનુરૂપ આ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.
ટેગ્સ:#Mihir Patel#Banaskantha District#Traffic Management#Law and Order#Public Safety Measures#Ratanpur-Merwada Bridge#District Magistrate Notification#Heavy Vehicle Ban#Gujarat Police Act#Alternative Routes
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી
6 કલાક પહેલા
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
1 દિવસ પહેલા
