વીરપુર પાટીયા પાસે યુવકનો મૃતદેહ મળતા ચકચાર
પાલનપુરના વીરપુર પાટીયા નજીકથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવકનો મૃતદેહ ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુરના વીરપુર પાટીયા પાસે એક માળી સમાજના યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જોકે, આ ઘટના આત્મહત્યા છે કે પછી કોઈ ગુનાહિત કૃત્ય (હત્યા)નો ભાગ છે તે અંગે અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસ બાદ જ યુવકના રહસ્યમય મોતનું સાચું તથ્ય બહાર આવશે.





