રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા25 જાન્યુઆરી, 2025| Super Admin

સગીરાનું રહસ્યમય મોત; સગીરાની હત્યા થઈ હોવાના આક્ષેપો સાથે મૃતદેહ સ્વીકારવાનો પરિવારે કર્યો ઇન્કાર

સગીરાનું રહસ્યમય મોત; સગીરાની હત્યા થઈ હોવાના આક્ષેપો સાથે મૃતદેહ સ્વીકારવાનો પરિવારે કર્યો ઇન્કાર
પોલીસે ભારે જહેમત બાદ સમજાવટને અંતે મામલો થાળે પાડ્યો; અમીરગઢ તાલુકાના કિડોતર ગામની સીમમાં આવેલા અવાવરું કુવામાંથી એક સગીરા નો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો.જોકે,સગીરાની હત્યા થઈ હોવાના આક્ષેપો સાથે સગીરાના પરિવાર જનો અને સમાજના આગેવાનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા મામલો ગરમાયો હતો. દરમિયાન, પોલીસની સમજાવટને અંતે મામલો થાળે પડ્યો હતો. કીડોતર ગામની રબારી સમાજની 15 વર્ષની સગીરા ગૂમ થઈ ગઈ હતી.બાદમાં તેનો મૃતદેહ અવાવરું કુવામાંથી મળી આવ્યો હતો. જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ માં ખસેડાયો હતો. જોકે, ઘટનાને પગલે એકત્ર થયેલા સગીરાના પરિવારજનો અને સમાજના આગેવાનોએ સગીરાની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જોકે, પોલીસે પેનલ પી.એમ. કરાવી જરૂરી બ્લડ સેમ્પલ, વિશેરા સહિતના સેમ્પલ એફએસ એલ માં મોકલી આપ્યા હોવાનું દાંતાના એ.એસ.પી.સુમન નાલાએ જણાવ્યું હતું. જોકે, પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો શંકાસ્પદ આરોપીઓની ધરપકડ ની માંગ કરી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા હતા. ત્યારે પોલીસની કલાકોની જહેમત અને સમજાવટ બાદ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો. જોકે, પોલીસ તપાસમાં સગીરા ના અપમૃત્યુને લઈને શું બહાર આવે છે તે તો સમય જ બતાવશે.

સંબંધિત સમાચાર