વન મંત્રીના જન્મ દિને લોકો દ્વારા વૃક્ષારોપણ થકી પર્યાવરણ જતનનો સંકલ્પ
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડાવસ ગામે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસ નિમિત્તે તેમજ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ડાવસ ગામે રાજ્યના સૌપ્રથમ અને સૌથી મોટા ‘વન કવચ’ નું નિર્માણ કરવામાં આવ્યું છે. મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે અહીં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.82.jpg198.14 KBઆ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૧૧૨ એકર જેટલી વિશાળ જમીનમાં ૨ લાખથી વધુ વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યનું આ સૌપ્રથમ એટલું મોટું વન કવચ છે જ્યાં ઇમારતી લાકડાના વૃક્ષો, ફળફળાદી આપતા વૃક્ષો તેમજ અમૂલ્ય ઔષધીય વનસ્પતિઓ સહિત અલગ-અલગ પ્રકારના છોડ ઉછેરવામાં આવ્યા છે. આ વન કવચ ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યા સામે લડવામાં અને પર્યાવરણને જરૂરી કાર્બન ક્રેડિટ પૂરી પાડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.81.jpg157.38 KBવન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસના પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ જાતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંકલ્પ લીધો હતો અને મંત્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.84.jpg355.26 KBઆ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, બનાસ મેડિકલ કોલેજના અધ્યક્ષ પી.જે. ચૌધરી, વેર હાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, અમરતભાઈ દવે, ડીસા પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુ, શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સુમેરસિંહ વાઘેલા સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.