ઊંઝાના નાગરિકો માટે મહત્વપૂર્ણ એવા રેલ્વેના 11 ગરનાળા વિસ્તારના રસ્તાઓની સમસ્યાઓના નિરાકરણ માટે મહેસાણા સાંસદ અને ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલે રેલ્વે અધિકારીઓની ઉપસ્થિતિમાં વિસ્તૃત નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન રેલવેના ડિવિઝનલ મેનેજર વેદ પ્રકાશ હાજર રહ્યા હતા. નાગરિકોની માંગણીઓને ધ્યાનમાં રાખીને રસ્તાઓની સ્થિતિ સુધારવા અને રેલવે સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે વિગતવાર સમીક્ષા કરવામાં આવી. 11 ગરનાળા વિસ્તારમાં બંને તરફના રસ્તાઓના સમારકામ અને સુધારણા માટે સૂચનાઓ આપવામાં આવી. બસ સ્ટેશન પાસેના અંડરપાસમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને, રસ્તો બંધ ન થાય અને લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે યોગ્ય કામગીરી હાથ ધરવા રેલવે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા તેમજ અંડરપાસના ઉપરના ભાગે આવેલ રસ્તાનું પણ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણથી ઊંઝાના નાગરિકોને આશા જાગી છે કે, લાંબા સમયથી ચાલી આવતી રસ્તાની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે. ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા આ મામલે રજુઆત કરવામાં આવી હતી.અને નાગરિકોને સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે જાગૃતતા દાખવવામાં આવી હતી.
મહેસાણા18 ઑગસ્ટ, 2025
ઊંઝાના રેલ્વેના 11 ગરનાળા વિસ્તારના રસ્તાઓનું સાંસદ અને ધારાસભ્ય દ્વારા નિરીક્ષણ કરાયું

ટેગ્સ:#infrastructure#Public Services#Railway Issues#Monsoon challenges#Citizen Welfare#road repairs#Waterlogging#Road Inspection#Unjha Railway#Mehsana MP#Unjha MLA#Underpass
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી
2 દિવસ પહેલા
મહેસાણાવડનગરમાં આંબેડકર ભવનની જમીન પર તંત્રનું બુલડોઝર : ગેરકાયદેસર દબાણોનો સફાયો
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું
5 દિવસ પહેલા
