રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા18 ઑગસ્ટ, 2025| Super Admin

ઊંઝાના રેલ્વેના 11 ગરનાળા વિસ્તારના રસ્તાઓનું સાંસદ અને ધારાસભ્ય દ્વારા નિરીક્ષણ કરાયું

ઊંઝાના રેલ્વેના 11 ગરનાળા વિસ્તારના રસ્તાઓનું સાંસદ અને ધારાસભ્ય દ્વારા નિરીક્ષણ કરાયું

ઊંઝાના નાગરિકો માટે મહત્વપૂર્ણ એવા રેલ્વેના 11 ગરનાળા વિસ્તારના રસ્તાઓની સમસ્યાઓના નિરાકરણ માટે મહેસાણા સાંસદ અને ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલે રેલ્વે અધિકારીઓની ઉપસ્થિતિમાં વિસ્તૃત નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન રેલવેના ડિવિઝનલ મેનેજર વેદ પ્રકાશ હાજર રહ્યા હતા. નાગરિકોની માંગણીઓને ધ્યાનમાં રાખીને રસ્તાઓની સ્થિતિ સુધારવા અને રેલવે સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે વિગતવાર સમીક્ષા કરવામાં આવી. 11 ગરનાળા વિસ્તારમાં બંને તરફના રસ્તાઓના સમારકામ અને સુધારણા માટે સૂચનાઓ આપવામાં આવી. બસ સ્ટેશન પાસેના અંડરપાસમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને, રસ્તો બંધ ન થાય અને લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે યોગ્ય કામગીરી હાથ ધરવા રેલવે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા તેમજ અંડરપાસના ઉપરના ભાગે આવેલ રસ્તાનું પણ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણથી ઊંઝાના નાગરિકોને આશા જાગી છે કે, લાંબા સમયથી ચાલી આવતી રસ્તાની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે. ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા આ મામલે રજુઆત કરવામાં આવી હતી.અને નાગરિકોને સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે જાગૃતતા દાખવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર