અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા ૫૧ હજાર હેક્ટરથી વધુ જમીનમાં મગફળીનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ, સિઝન દરમિયાન સતત વરસેલા વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પાકમાં જીવાતનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે મગફળીનો પાક નષ્ટ થવાના આરે પહોંચ્યો છે. પાકને બચાવવા માટે ખેડૂતોએ મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કરવો પડી રહ્યો છે, છતાંય અપેક્ષિત ઉત્પાદન મેળવવાને લઈને અન્નદાતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને સરકાર તેમજ તંત્ર દ્વારા યોગ્ય સહાયની માંગ કરવામાં આવી રહી છે.
અરવલ્લીમાં ૫૧ હજાર હેક્ટરથી વધુ મગફળીનું વાવેતર: સતત વરસાદના કારણે જીવાતનો પ્રકોપ

ટેગ્સ:#arvalli
સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલઆંખ: નકલી એનાલોગ પનીર સામે સઘન તપાસનો ધમધમાટ
1 દિવસ પહેલા
અરવલ્લીઇડરના વેરાબર પાસે ઓવરલોડ ડમ્પરની ટક્કરે વાનના ફાચડા: બે ગંભીર, તંત્ર સામે આક્રોશ
1 દિવસ પહેલા
અરવલ્લીઇડરમાં મનરેગાનો મસ્ટર કારકુન લાંચ લેતા ઝડપાયો
3 દિવસ પહેલા
અરવલ્લીશામળાજીમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે 9 ST બસોનું લોકાર્પણ
4 દિવસ પહેલા
