સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 'સત્સંગદીક્ષા ગ્રંથ'ના શ્લોકો મુખપાઠ કરનારા 212 બાળકોની અભિવાદન યાત્રા યોજાઈ હતી. આ યાત્રાને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિતના અગ્રણીઓએ મોદી ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સિદ્ધિ સંસ્કાર અને મૂલ્ય આધારિત શિક્ષણના પ્રચારનો ભાગ છે. મહંતસ્વામી દ્વારા રચિત 'સત્સંગદીક્ષા ગ્રંથ'ના 315 સંસ્કૃત શ્લોકોનો 3 થી 14 વર્ષના કુલ 15,666 બાળકોએ મુખપાઠ કરીને વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિને સંસ્કાર શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ગણવામાં આવે છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ બાળકોને અભિનંદન આપવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભવ્ય અભિવાદન યાત્રાનું આયોજન કરાયું હતું. હિંમતનગરના બેરણા રોડ પર આવેલા મોદી ગ્રાઉન્ડથી 50 થી વધુ વાહનોમાં જિલ્લાના 212 બાળકો જોડાયા હતા. ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાએ બાળકોના ઉત્સાહને બિરદાવી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને શુભાશિષ પાઠવ્યા હતા. આ અભિવાદન યાત્રા મોદી ગ્રાઉન્ડથી શરૂ થઈને બેરણા રોડ, મહાવીરનગર, લક્ષ્મીનારાયણ સોસાયટી, નર નારાયણ સ્વામિનારાયણ મંદિર રોડ, સાબર સોસાયટી, અપના બજાર, જે.પી. મોલ અને કાંકરોલ થઈને નેશનલ હાઈવે પરથી BAPS સ્વામિનારાયણ મંદિરના મુખ્ય ગેટ સુધી પહોંચી પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં સંતો-મહંતો, બાળકો અને તેમના વાલીઓ પણ જોડાયા હતા. હરિભક્તો દ્વારા ઠેર ઠેર ફૂલડાં વરસાવીને યાત્રાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
હિંમતનગરમાં સત્સંગદીક્ષા ગ્રંથ મુખપાઠ કરનાર બાળકોની યાત્રાનું ધારાસભ્ય દ્વારા પ્રસ્થાન કરાવ્યું

ટેગ્સ:#children#Himmatnagar#Yatra#achievement#Satsangdiksha Granth#MLA flags#Mahantaswami#Sanskrit verses#Modi Ground
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા SOGની મોટી સફળતા: ૬ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતનગર ઝડપાયો
1 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચેના નવા બ્રિજ પર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં તિરંગા અને કળશયાત્રાનો માહોલ: 11થી 16 ઓગસ્ટ દરમિયાન ભાજપ વિશેષ કાર્યક્રમો યોજશે
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ
1 અઠવાડિયા પહેલા
