રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
વાવ-થરાદ27 જુલાઈ, 2026| Super Admin

ભાભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ખેતરો બેટમાં ફેરવાતા પાક બરબાદ, ખેડૂતો દ્વારા વળતરની માંગ

ભાભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ખેતરો બેટમાં ફેરવાતા પાક બરબાદ, ખેડૂતો દ્વારા વળતરની માંગ

ભાભર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદ અને આસપાસના તાલુકાનું વરસાદી પાણી ભરાવાને કારણે ખેતીવાડીને ભારે ફટકો પડ્યો છે. ઠેર ઠેર કેનાલો તૂટી જતાં જમીન ધોવાણ સાથે ઉભા પાકો પણ પાણીમાં તણાઈ ગયા છે.

78.jpg 135.73 KB
મોટાભાગના ખેતરોમાં ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં તો કમર સુધી પાણી પહોંચી ગયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.કેનાલો તૂટવા નું મુખ્ય કારણ અન્ય તાલુકાનું વધારાનું પાણી આવતા ભાભરની મુખ્ય અને ગૌણ કેનાલો ઠેર ઠેર તૂટી ગઈ છે. જેના કારણે ખેતરોમાં એકસાથે પાણી ઘૂસી ગયું. જમીન ધોવાણ સતત વહેતા પાણીથી ફળદ્રુપ ઉપરની માટી વહી ગઈ છે, જેની અસર આગામી સિઝન પર પણ પડશે તેવું ખેડૂતો નું માનવું છે.

કયા પાકને સૌથી વધુ નુક્સાન ખેડૂતોના જણાવ્યા મુજબ આ વખતે વાવવામાં આવેલા મુખ્ય ત્રણ પાકને સૌથી વધુ નુક્સાન થયું છે.  એરંડા, જુવાર અને મગફળી ના પાક 80% થી વધુ બરબાદ થઈ ગયા હોવાનો અંદાજ છે. હજુ પાક  તૈયારીમાં હતો ત્યારે જ આ સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નુક્સાનની જાણ થતા જ આજે સવારથી ખેડૂતો ખેતરોમાં પહોંચીને નુક્સાનનો તાગ મેળવી રહ્યા છે. ખેડૂત આગેવાનોએ તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે.  "મહેનત અને ખર્ચ બધું પાણીમાં ગયું. જો હમણાં સર્વે અને સહાય નહીં મળે તો આખું વર્ષ કેવી રીતે ચલાવવું?" એવી લાગણી ખેડૂતોમાં જોવા મળી રહી છે.

હાલ તંત્ર દ્વારા પણ પરિસ્થિતિનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં તલાટી અને કૃષિ અધિકારીઓની ટીમ દ્વારા ગામવાર નુક્સાનીનો અહેવાલ તૈયાર કરાશે તેવી ખેડૂતો ની માંગ છે.આ ઘટનાથી ભાભરના સેંકડો ખેડૂત પરિવારોની આજીવિકા પર સીધી અસર પડી છે.

ટેગ્સ:#bhabhar

સંબંધિત સમાચાર