વાવ અને થરાદ પંથકમાં વહીવટી તંત્ર દ્વારા મોટા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીના માર્ગદર્શન હેઠળ કુલ ૨૧૩ તલાટી કમ મંત્રીઓની બદલી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ બદલીઓ જે-તે કર્મચારીઓની સ્વ-વિનંતી અને તેમણે આપેલા વિકલ્પના આધારે કરવામાં આવી છે. આ કારણે નિયમ મુજબ બદલી પામેલા કોઈ પણ કર્મચારીને બદલી ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં.વહીવટી તંત્ર દ્વારા આ બદલીઓ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. તમામ ૨૧૩ તલાટીઓને પોતાની જૂની ફરજ પરથી મુક્ત થઈને નવી નિમણૂકના સ્થળે વિલંબ કર્યા વગર હાજર થવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ચૂંટણીની વ્યસ્તતા બાદ હવે ગ્રામીણ સ્તરે વહીવટી કામગીરીમાં ગતિ લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે.
વાવ-થરાદમાં ચૂંટણી પ્રક્રિયા બાદ તલાટી કમ મંત્રીઓની મોટાપાયે આંતરિક બદલી

સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
15 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
15 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
16 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં 25થી 30 વર્ષ જૂનાં વૃક્ષોનું નિકંદન: પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ
17 કલાક પહેલા
