ડીસાના સમૌ નાના ગામમાં પ્રેમ લગ્નના રેકેટનો પર્દાફાશ : એક વર્ષમાં 133 લગ્નની નોંધણી

પ્રેમ લગ્નના કાયદામાં સુધારો જરૂરી : ગામલોકોમાં આક્રોશ
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાના એવા ગામમાં પ્રેમ લગ્નના નામે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. માત્ર એક જ વર્ષમાં, એક જ પંડિત અને ગામના એક જ મંદિરમાં 133 પ્રેમ લગ્નોની નોંધણી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગ કરી રહેલા સમાજને વધુ આંદોલન કરવા માટે મજબૂર કર્યા છે.પ્રેમ લગ્ન કાયદામાં સુધારા માટે પાટીદાર અને અન્ય સમાજો દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો અને રેલીઓ યોજાઈ રહી છે, ત્યારે આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
ડીસાના સમૌ નાના ગામમાં આવેલ જોગણી માતાના મંદિરમાં આટલી મોટી સંખ્યામાં પ્રેમ લગ્નો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આ દસ્તાવેજોની ચકાસણી કરતા ઘણા ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે.ગામના લોકોનો આક્ષેપ છે કે આટલા મોટા પાયે લગ્ન નોંધણી થઈ હોવા છતાં ગામના સરપંચ કે સ્થાનિક લોકોને તેની કોઈ જાણ જ નથી. ગામના લોકોએ જણાવ્યું કે, 'આજે પણ પ્રેમ લગ્નની વાતો સામે આવી રહી છે, તેના વિશે ગામના લોકોને કોઈપણ પ્રકારની જાણ નથી.' તેમ જ આ ઘટનાથી ગામ અને જોગણી માતાના મંદિરની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચ્યું હોવાનું લોકોએ જણાવ્યું છે. ગામના સરપંચ રાજુભા યાદવ દ્વારા આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે આ લગ્નોની નોંધણી અગાઉના તલાટી પંકજભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ લગ્નોની નોંધણી કોર્ટના નિયમ પ્રમાણે કરવામાં આવી હતી. જો કે, સરપંચ અને ગામલોકોનો આક્ષેપ છે કે આ લગ્નો શંકાસ્પદ છે અને તેમાં કૌભાંડ થયું છે.
વર્ષ 2020 અને 2021 માં કુલ 159 લગ્નોની નોંધણી થઈ હતી, જેમાંથી એકલા 2021 ના વર્ષમાં 133 લગ્નો નોંધાયા હતા. આ તમામ લગ્નો એક જ સ્થળે અને એક જ પંડિત દ્વારા કરાવવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગામના લોકોની માંગ છે કે આ કૌભાંડમાં સામેલ તમામ લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી ગામ અને મંદિરની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત થઈ શકે. આ કૌભાંડ દર્શાવે છે કે પ્રેમ લગ્નના નામે દસ્તાવેજોનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેના કારણે કાયદામાં સુધારાની જરૂરિયાત વધુ સ્પષ્ટ થઈ રહી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
8 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
9 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
9 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં 25થી 30 વર્ષ જૂનાં વૃક્ષોનું નિકંદન: પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ
10 કલાક પહેલા
