રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા24 એપ્રિલ, 2026| Super Admin

લાખણી : કેસરસી ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં તેડાગર મહિલાની નિર્મમ હત્યા, પંથકમાં ચકચાર

લાખણી : કેસરસી ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં તેડાગર મહિલાની નિર્મમ હત્યા, પંથકમાં ચકચાર

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કેસરસિંહ ગોળીયા ગામે આજે સવારના સમયે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામના આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી એક મહિલાની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ લોહિયાળ ખેલ ખેલ્યા બાદ હુમલાખોર યુવકે પણ પોતાની જીવનલીલા સંકેલવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે.

કેસરસિંહ ગોળીયા ગામની આંગણવાડીમાં જ્યારે રોજિંદી કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક એક યુવકે ત્યાં આવી મહિલા કર્મચારી પર હુમલો કર્યો હતો. યુવકે આવેશમાં આવી મહિલાને શરીરના ભાગે જીવલેણ હથિયારોના ઘા માર્યા હતા, જેના કારણે લોહીલુહાણ હાલતમાં મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. 

મહિલાને મોતને ઘાટ ઉતાર્યા બાદ હુમલાખોર યુવકે પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, હુમલાખોરે કોઈ ઝેરી પદાર્થ અથવા ગંભીર ઈજા પહોંચાડી પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું હતું. હાલમાં આ યુવકની હાલત ગંભીર હોવાનું જણાતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

આ ભયાનક ઘટનાની જાણ થતા જ અગથળા પોલીસનો કાફલો તાત્કાલિક કેસરસિંહ ગોળીયા ગામે દોડી ગયો હતો. પોલીસે મહિલાના મૃતદેહને કબજે કરી પીએમ (Post-Mortem) અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે? શું આ કોઈ અંગત અદાવત છે કે પ્રેમ પ્રકરણ? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એફએસએલ (FSL) ની ટીમની પણ મદદ લેવામાં આવી શકે છે.

 

 

સંબંધિત સમાચાર